Close Menu

વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

Date : 19/01/2024

ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા...શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકાના એન.એસ.એસ. યુનિટ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તારીખ : ૧૯/૦૧/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકાર અને સેવ કલ્ચરલ સેવ ભારત ફાઉન્ડેશન અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કુલ 09 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોએ વિવિધ વિષયો ઉપર પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક શ્રી તરીકે ડો.કમલેશ રાજપુત સાહેબ, ડો.રાજેશ ડાભી સાહેબ તેમજ પ્રો. સુનિલ જે.ભોયે સાહેબ ભૂમિકા ભજવી હતી તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

પ્રથમ નંબર : ગોહિલ દર્શન
દ્વિતીય નંબર : ઝાલા દર્શના
તૃતીય નંબર: પારઘી ચાંદની

સ્પર્ધામાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન....


Event Image Gallery